સુરતના હજીરા ઓ.એન.જી.સી. ખાતે તૈનાત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના ૫૭ જવાનોનું કોરોનાવિરોધી રસીકરણ

સુરત: દેશમાં કોરોના પ્રતિકારક રસીકરણ અભિયાનના બીજા તબક્કાના રસીકરણ અંતર્ગત સુરતના ઓ.એન.જી.સી. હજીરા ખાતે તૈનાત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળના ૫૭ જવાનોને મૈત્રેય હોસ્પિટલ ખાતે આયોજિત કેમ્પમાં કોવિશીલ્ડ વેક્સીન આપવામાં આવી હતી.

યુનિટના કમાંડર નિલેશકુમાર ગૌડએ પણ રસીકરણ કરાવી જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો. આગામી પાંચ દિવસોમાં યુનિટના કુલ ૩૫૫ જવાનોનું રસી આપવામાં આવશે.

Exit mobile version