સુરત : સુરતથી હવાઇ માર્ગે વારંવાર પ્રવાસ કરનારા સુરતના મુસાફરો માટે સુરતથી સ્ટાર એર એરલાઇન્સની કિશનગઢ અને બેલગામની પ૦ સીટરની ફલાઇટ શરૂ થઇ છે. આ પ્રસંગે નવસારીના સાંસદ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ચેમ્બરની એવીએશન/એરપોર્ટ કમિટીના ચેરમેન મનોજ સિંગાપુરી હાજર રહ્યા હતા. સુરતના હીરા અને ટેક્ષ્ટાઇલ ઉપરાંત અન્ય ઉદ્યોગકારોને આ ફલાઇટનો લાભ થશે. ઉદ્યોગકારો એક જ દિવસમાં સુરતથી વેપાર માટે ગંતવ્ય સ્થળે જઇને પાછા સુરત પરત ફરી શકશે. આ ફ્લાઇટ સોમવાર, બુધવાર અને શુક્રવારે ઓપરેટ થનારી છે. બેલગામથી ફલાઇટ બપોરે ૧રઃ૦૦ કલાકે ટેકઓફ થઈ સુરત બપોરે ૧ઃર૦ કલાકે લેન્ડ થશે. બપોરે ૧ઃપ૦ કલાકે સુરતથી ટેકઓફ થઈ કિશનગઢ બપોરે ૩ઃ૧૦ કલાકે લેન્ડ થશે. જ્યાંથી બપોરે ૩ઃ૪૦ કલાકે ટેકઓફ થઈ સુરત સાંજે પઃ૦૦ કલાકે લેન્ડ થશે અને સુરતથી સાંજે પઃ૩૦ કલાકે ટેકઓફ થઈને બેલગામ સાંજે ૬ઃપ૦ કલાકે લેન્ડ થશે. આ નવી સેવા સુરત, ભરૂચ, નર્મદા અને નવસારી જિલ્લામાં રહેતા સેંકડો લોકો માટે લાભદાયી સિદ્ધ થશે.
Read Next
September 18, 2024
દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ-RAKEZ) ગવર્મેન્ટના અધિકારીઓનું સુરતમાં આગમન
September 13, 2024
સુરતમાં ત્રણ દિવસીય ઈન્ડિયા ગ્રીન એનર્જી એક્સ્પોનું ઉદ્ઘાટન
August 20, 2024
દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા વેપારીઓ માટે નિ:શુલ્ક દુબઈ બિઝનેશ સેટઅપ સેમિનાર યોજાયો
February 13, 2024
સુરતની કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા પાંચ દિવસીય તાપી ઉત્સવનો આરંભ
Subscribe to our mailing list to get the Latest News Updates!
Related Articles

ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ ૨૯ અને ૩૦ જાન્યુઆરીના રોજ હોટલ સુરત મેરીયટ, અઠવાલાઇન્સ ખાતે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે
January 27, 2024

રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે વાસ્તુ ટ્રસ્ટ દ્વારા રામ મંદિર 11,111 દિયા કીટ નું વિતરણ શરુ કરવામાં આવ્યું
January 22, 2024