સુરત

તા.૦૧ થી ૧૫ માર્ચ દરમિયાન રાત્રિ કર્ફ્યું રાત્રિના ૧૨.૦૦ થી સવારે ૬:૦૦ સુધી અમલી રહેશે

સુરત: સુરત શહેરની કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર હિતમાં ઇ.પોલીસ કમિશનરશ્રી શરદ સિંઘલે રાત્રિ કર્ફ્યું અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે.

જાહેરનામા અનુસાર તા.૦૧ થી ૧૫ માર્ચ દરમિયાન રાત્રિ કર્ફ્યું રહેશે, જેમાં રાત્રિના ૧૨.૦૦ થી સવારના ૬:૦૦ કલાક સુધી સુરત શહેર કમિશનરેટ વિસ્તારના રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહિ, તેમજ કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવું નહીં, અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું ફરવું નહીં.

કેટલીક નિયત કરાયેલી આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ વ્યક્તિઓ /સંસ્થાઓને ઉપરોક્ત હુકમ પાલનમાંથી મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button