ગુજરાતટ્રાવેલ

પશ્ચિમ રેલવે દ્વારા કટરા સ્ટેશન માટે ચાર જોડીની વિશેષ ટ્રેનોનું પરિચાલન

અમદાવાદ : મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ, ગાંધીધામ, હાપા અને જામનગરથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુધીની ચાર જોડી વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1). ટ્રેન નંબર 04671/04672 બાન્દ્રા ટર્મિનસ – શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ સ્પેશ્યલ (અઠવાડિયામાં ચાર દિવસ)
ટ્રેન નંબર 04671 બાન્દ્રા ટર્મિનસ – શ્રીમાતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ સ્પેશ્યલ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી દર રવિવાર, સોમવાર, ગુરુવાર અને શુક્રવારે 11.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 17.40 વાગ્યે શ્રી માતા વૈષ્ણો દેવી કટરા પહોંચશે.આ ટ્રેન 1 જાન્યુઆરી, 2021 થી દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 04672 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા – બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ સ્પેશ્યલ ટ્રેન શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી મંગળવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે 09.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 16.00 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.આ ટ્રેન 30 ડિસેમ્બર, 2020 થી દોડશે.આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ જંકશન, વડોદરા જંકશન, ગોધરા જંક્શન, દાહોદ, મેઘનગર, રતલામ જંકશન, નાગદા જંકશન, ભવાની મંડી, કોટા જંકશન, સવાઈ માધોપુર, મથુરા જંકશન, નવી દિલ્હી, પાણીપત, અંબાલા કેન્ટ જંક્શન, લુધિયાણા જંકશન છે. , ફગવાડા જંકશન, જલંધર કેન્ટ, પઠાણકોટ કેન્ટ., કઠુઆ, જમ્મુ તાવી અને ઉધમપુર સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.ટ્રેન નંબર 04671 હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર રોકાશે, જ્યારે ટ્રેન નંબર 04672 સબ્જી મંડી સ્ટેશન પર રોકાશે. ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ છે.

2) ટ્રેન નંબર 04675/04676 ગાંધીધામ – શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ સ્પેશ્યલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 04675 ગાંધીધામ – શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ સ્પેશ્યલ ગાંધીધામથી દર શનિવારે 09.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 17.40 કલાકે શ્રી માતા વૈષ્ણોદેવી કટરા પહોંચશે. આ ટ્રેન 2 જાન્યુઆરી, 2021 થી દોડશે.આવી જ રીતે, ટ્રેન નંબર 04676 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા – ગાંધીધામ એક્સપ્રેસ સ્પેશ્યલ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી દર ગુરુવારે 09.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 17.40 કલાકે ગાંધીધામ પહોંચશે.આ ટ્રેન 31 ડિસેમ્બર 2020 થી દોડશે. આ ટ્રેન સામખિયાલી જંકશન, વિરમગામ જંકશન, અમદાવાદ જંક્શન, નડિયાદ જંકશન, આણંદ જંકશન, છાયાપુરી (વડોદરા), ગોધરા જંકશન, દાહોદ, મેઘનગર, રતલામ જંકશન, નાગદા જંકશન, વિક્રમગઢ,આલોટ, શામગઢ, રામગંજ મંડી, કોટા જંકશન, સવાઈ માધોપુર, મથુરા જંકશન, નવી દિલ્હી, પાણીપત, અંબાલા કેન્ટ જંક્શન, લુધિયાણા જંકશન, જલંધર કેન્ટ, પઠાણકોટ કેન્ટ, કઠુઆ, જમ્મુ તાવી અને ઉધમપુર સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેન નંબર 04675 હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર રોકાશે, જ્યારે ટ્રેન નંબર 04676 સબ્જી મંડી સ્ટેશન પર રોકાશે. ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ છે.

3) ટ્રેન નંબર 04677/04678 હાપા – શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ સ્પેશ્યલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 04677 હાપા – શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ સ્પેશ્યલ દર મંગળવારે 8.30 કલાકે હાપાથી ઉપડશે અને બીજા દિવસે 17.40 કલાકે શ્રી માતા વૈષ્ણોદેવી કટરા પહોંચશે.આ ટ્રેન 5 જાન્યુઆરી, 2021 થી દોડશે.આવી જ રીતે, ટ્રેન નંબર 04678 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા – હાપા એક્સપ્રેસ સ્પેશ્યલ શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી દર સોમવારે 09.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે 18.30 કલાકે હાપા પહોંચશે. આ ટ્રેન 4 જાન્યુઆરી, 2021 થી દોડશે.આ ટ્રેન રાજકોટ જંકશન, વાંકાનેર જંકશન, સુરેન્દ્રનગર, વિરમગામ જંકશન, અમદાવાદ જંક્શન, નડિયાદ જંકશન, આણંદ જંકશન, છાયાપુરી (વડોદરા), ગોધરા જંકશન, દાહોદ, મેઘનગર, રતલામ જંકશન, નાગદા જંકશન, શામગઢ, રામગંજ મંડી, કોટા જંકશન, સવાઇમાધોપુર, મથુરા જંકશન, નવી દિલ્હી, પાણીપત, અંબાલા કેન્ટ જંક્શન, લુધિયાણા જંકશન, જલંધર કેન્ટ, પઠાણકોટ કેન્ટ, કઠુઆ, કઠુઆ, જમ્મુ તાવી અને ઉધમપુર સ્ટેશનો બંને દિશામાં રોકાશે.ટ્રેન નંબર 04677 હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર રોકાશે, જ્યારે ટ્રેન નંબર 04678 સબ્જી મંડી સ્ટેશન પર રોકાશે. ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી 3 ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ છે.

4) ટ્રેન નંબર 04679/04680 જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ સ્પેશ્યલ (સાપ્તાહિક)
ટ્રેન નંબર 04679 જામનગર – શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ સ્પેશ્યલ જામનગરથી દર બુધવારે 08.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 17.40 કલાકે શ્રી માતા વૈષ્ણોદેવી કટરા પહોંચશે.આ ટ્રેન 6 જાન્યુઆરી 2021 થી દોડશે. તેવી જ રીતે, ટ્રેન નં. 04680 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા – જામનગર એક્સપ્રેસ સ્પેશ્યલ દર રવિવારે શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી 9.55 કલાકે ઉપડશે અને બીજા જ દિવસે 18.45 કલાકે જામનગર પહોંચશે.આ ટ્રેન 3 જાન્યુઆરી, 2021 થી દોડશે. આ ટ્રેન હાપા, રાજકોટ જંકશન, વાંકાનેર જંકશન, સુરેન્દ્રનગર, વિરમગામ જંકશન, અમદાવાદ જંક્શન, નડિયાદ જંકશન, આણંદ જંકશન, છાયાપુરી (વડોદરા), ગોધરા જંકશન, દાહોદ, મેઘનગર, રતલામ જંકશન, નાગદા, જંકશન, વિક્રમગઢ આલોટ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા જંકશન, સવાઈ માધોપુર, ભરતપુર જંકશન, મથુરા જંકશન, નવી દિલ્હી, પાણીપત, અંબાલા કેન્ટ જંક્શન, લુધિયાણા જંકશન, જલંધર કેન્ટ, પઠાણકોટ કેન્ટ, કઠુઆ, જમ્મુ તાવી અને ઉધમપુર સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.ટ્રેન નંબર 04679 હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર રોકાશે, જ્યારે ટ્રેન નંબર 04680 સબ્જી મંડી સ્ટેશન પર રોકાશે. ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ છે.

આ ટ્રેનો સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે. સંબંધિત સ્પેશ્યલ ટ્રેનોના હોલ્ટને લગતા વિગતવાર સમય જાણવા માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જોઈ શકશે. -PIB

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button